મુખ્ય સામગ્રી પર જાઓ

#Congo-viral-fiver

-: કોંગો વાયરસ ફિવર :-
ગામડા માં રેહતાં અને પશુપાલન કરતાં લોકો એ ખાસ વાંચવું

🙏*આરોગ્ય અપીલ*🙏🏻
અત્યારે વર્તમાન પત્રોમાં અને સમાચાર માધ્યમોમાં કોંગો હેમરેજીક ફીવર વિશે અવારનવાર સમાચાર જોવા મળે છે. આ વિશે અમુક જાણવા જેવી બાબતો અત્યારે સૌ મિત્રો સમક્ષ રજુ કરું છું.
1) કોંગો ફીવર વાયરસથી થતી બીમારી છે. આ વાયરસ પશુઓમાં જોવા મળતી ઇતરડી દ્વારા ફેલાય છે.
2) ઇતરડી વાયરસ ધરાવતી હોય અને પશુને ચેપ લગાડે તો પણ પશુમાં આના કોઈ ખાસ લક્ષણો જોવા નથી મળતા. પરંતુ આવી ઇતરડી જો સંજોગો સર્જાતા મનુષ્યને કરડે અને વાયરસ શરીરમાં દાખલ થાય તો એવી વ્યક્તિને ચેપ લાગે છે.
3) ઇતરડી કરડયાને 2 થી 6 દિવસના ગાળા બાદ આ રોગના લક્ષણો જોવા મળે છે.
4) ચેપ લાગવાના શરૂઆતના લક્ષણો અન્ય વાયરલ તાવ જેવા જ હોય છે. જેમ કે માથું દુઃખવું, તાવ આવવો, શરીરમાં કળતર થવું, પેટમાં દુખાવો થવો, ક્યારેક ઉલટી કે ઉબકા થવા, માનસિક બેચેની થવી, નબળાઈ લાગવી વગેરે.
5) પરંતુ આવા લક્ષણો પછી ત્રણથી ચાર દિવસમાં અન્ય ગંભીર લક્ષણો પણ જોવા મળી શકે છે. જેમ કે, નાકમાંથી, પેઢામાંથી કે મલદ્વારમાંથી લોહી નિકળવું. શરીર પર ચામડી નીચે રહેલી સૂક્ષમ રક્તવાહિનીઓ માંથી હેમરેજના કારણે બ્લીડીંગ થવાથી નાના નાના ચાઠા કે ચકામા દેખાવા. વ્યક્તિના મગજમાં સોજો કે હેમરેજીક બ્લીડીંગ થવાને કારણે ધીરે ધીરે વ્યક્તિનું કોમામાં સરકવું. વિગેરે... અને આ તબક્કામાં મૃત્યુ પણ નિપજી શકે છે. કોંગો હેમરેજીક ફિવરમાં મૃત્યુ દર 40% સુધીનો હોય છે. એટલે કે સઘન સારવાર છતાં, 100 માંથી 40 દર્દીઓ મૃત્યુ પામતા હોય છે.
6) ગુજરાતમાં હાલ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી આ કેસ આવી રહ્યા છે. ભૂતકાળમાં કચ્છ જિલ્લામાંથી પણ કેસ નોંધાયા છે. અને કેસ ન નોંધાયા હોય એવા વિસ્તારોમાં પણ આ રોગ થવાની શક્યતાઓ છે જ.
7) જે લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમને પશુઓ સાથે કામ કરવાનું હોય છે એવી વ્યક્તિમાં સંપર્કની શક્યતાઓ અને સંક્રમણ ફેલાવાની શક્યતાઓ વધારે હોય છે.
8) એ સિવાય પણ પશુના સીધા સંપર્કમાં ન આવ્યા હોય પરંતુ પશુઓ રાખ્યા હોય કે પશુઓ જ્યાં રહ્યા હોય, નીકળ્યા હોય એવા વિસ્તારમાં ચેપી ઇતરડી હોય એવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં.
9) ઇતરડી આમ તો પોતાનું જીવન પશુની ત્વચા પર ચોંટી રહીને જ વ્યતીત કરે છે. પરંતુ એ સિવાય પણ પશુના આવાસની આજુબાજુની મકાન કે કુદરતી જગ્યાઓમાં તિરાડોમાંથી કે પથ્થર નીચેથી કે એવી અંધારી અને ઠંડી જગ્યાએથી મળી આવે છે.
10) પશુમાંથી મનુષ્યમાં આ રોગ ઇતરડી કરડવાથી ફેલાય છે. પરંતુ મનુષ્યને ચેપ લાગ્યા પછી અન્ય મનુષ્યમાં તે ચેપી વ્યક્તિના શરીરના કોઈ પણ પ્રવાહી દ્વારા ફેલાઈ શકે છે. આથી રોગની સારવાર કરતી વખતે કોઈ કારણોસર ડોકટર કે અન્ય હોસ્પિટલ સ્ટાફ આવા પ્રવાહી દ્રવ્યોના સંપર્કમાં આવે તો તેનાથી પણ સંક્રમણ થઈ શકે છે.
11) આ રોગમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતો હોય છે. એટલે સામાન્ય તાવ જણાય કે શંકાસ્પદ લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. અને લોહીના સામાન્ય રિપોર્ટ કરવાથી પણ ઘણી મદદ મળી રહેતી હોય છે.
12) કોંગો ફીવર માટેના રિપોર્ટ કરવા સેમ્પલ પુના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલવામાં આવે છે. અને એ રૂટિન ટેસ્ટ નથી.
13) યોગ્ય જાણકારીથી આ રોગથી બચી શકાય છે. જરા પણ શંકા જણાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રની કે હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ.

 "કરો યોગ રહો નિરોગ"
*જન હિતમાં જારી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

आइपल्स जूस के 26 फायदे जो बडी बिमारी से बचाता है।

आइपल्स जूस के 26 फायदे जो बडी बिमारी से बचाता है।  आइपल्स जूस के फायदे यह सुपर-फ्रूट्स का एक एंटीऑक्सीडेंट युक्त समृद्ध मिश्रण है जो पुनर्स्थापनात्मक शक्तियों का समर्थन करता है। iPulse जूस मुक्त मूलक क्षति के खिलाफ एक उत्कृष्ट रक्षा है, स्वस्थ हृदय, हड्डी, मस्तिष्क और चयापचय प्रणाली के प्रबंधन के साथ-साथ समग्र स्वास्थ्य और जीवन शक्ति का समर्थन करता है। एक समय में बहुत सारे फलों का सेवन करना मुश्किल है, यह रस कुछ ही घूंट में सभी फलों के लाभों का गठन करता है। benefits for human body orgens, belly fat obesity Indusviva health science | आई-पल्स, आई-काफी और आई-स्लीम के हेल्थ मे फायदा मोटापा टमी फेट दुर  करता है साथ मे कयी बिमारी को भी ठीक करता है। जैसे ह्रीदय रोग, ब्लड प्रेसर, लीवर, कितनी थाइराइड, ओर्थराइड जोडोका दर्द , अस्थमा , सभी प्रकार के केन्सर रोग मे फायदा करता है।  🔹🛒You can self order indusviva products 🔗 hear / ईन्दुस वीवा कंपनी की वेबसाइट से खुद और्डर करे 👉  Buy now Click here link यह वसा और कार्बोहाइड्रेट चयापचय को विनियमित करने, भूख में सुधार, पाचन और आत्...

બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે અરજી કરો ! Free Beauty Parlour Kit Sahay Yojana 2023

9 બ્યુટી પાર્લર કીટ સહાય યોજના માટે અરજી કરો ! Free Beauty Parlour Kit Sahay Yojana 2023 by PRAGNESH TIRGAR July 03, 2023  Post a Comment [નવા ફોર્મ ભરાવાના શરૂ] બ્યુટી પાર્લર કીટ સહાય યોજના વર્ષ 23-24, ફોર્મ ઓનલાઇન ભરી શકાય છે  માનવ ગરીમા યોજના 2023 manav kalyan yojana form 2023 Beauty Parlour Kit Sahay Yojana Gujarat : માનવ ગરિમા સ્કીમ હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર સ્ટાર્ટ કરવા માટે બ્યુટી પાર્લર કીટ સહાય આપવામાં આવે છે. હવે અમે તમને બ્યુટી પાર્લર કીટ સહાય યોજના વિષે તમામ વિગતો આપીશું જેથી કરીને તમે આ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકશો.Manav Kalyan Yojana Form 2023 Beauty Parlour Kit Sahay Yojana year 23-24 - Apply Online  યોજનાનું નામ જાણો - બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 આ યોજના કોના હેઠળ ચાલે છે  :- માનવ ગરિમા યોજના 2023 નાણાંકીય સહાય :- તારીખ :૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની લિસ્ટ મુજબની મર્યાદામાં પોર્ટલ :- e-kutir.gujarat.gov.in વય મર્યાદા:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ કાર્યકરી વિભાગનું નામ :- કમિશનર, કુટીર અને ગ્રામોદ્ય...

शक्ति सेवा ट्रस्ट संपर्क सेतु जन सेवा वही प्रभु सेवा

  शक्ति सेवा ट्रस्ट संपर्क सेतु जन सेवा वही प्रभु सेवा  प्रियजन, * संपर्क सेतु *  🙏 नमस्कार दोस्तों मै प्रज्ञेश राठोर तीरगर अहमदाबाद गुजरात, आप सभी को मेरा प्रणाम, मेरा मतलब इस लेख से आप को प्रकृति के आगे सब झुकते हैं, आखिर किस्मत ने कैसे बाजी मार ली... दिनांक.17.02.2024*  🌻जिंदगी एक नियम पर जियो🌻*  *सर..* *जिसके साथ आपकी भावना हो *  *उन्हें कभी अँधेरे में न रखें..* *सफल होना कठिन नहीं है..* *ईमानदारी से सफल होना कठिन है.*  *कई बार बुद्धिमान लोग बातों से पीछे नहीं हटते भले ही उनके पास कोई जवाब हो। ...* *संतोष के साथ सोएं,* *आशा के साथ जागें,* और *गौरव के साथ जीना ही सच्चा जीवन है...* नीति की तरह कर्म का सिद्धांत भी हमारे अच्छे या बुरे कर्म और सुख का भागीदार बनता है। भुगतना पड़ता है. ....🌞*  *महादेव हर....🙏  यदि आपके रिश्तेदार बड़ौदा में रहते हैं तो कृपया उन सभी को यह जानकारी साझा करें। हम जरूरतमंद मरीजों को रक्तदान करते हैं। (बिना किसी पैसे के और बिना किसी रक्त परिवर्तन के।) क्षेत्र - बड़ौदा  संपर्क - सेतु *  भावेन वैद्य* 98253...